શ્રમિક પરિવહન યોજના ગુજરાત (GBOCWWB) | Shramik Parivahan Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

“શ્રમિક પરીવહન યોજના” ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા બાંધકામ વ્યવસાય માં જોડાયેલા શ્રમિકો ને કડિયા નાક સુધી આવવા જવા માટે તકલીફ ના પડે એટલે રાહત દરે મહાનગરપાલિક દ્વારા બસ પાસ યોજના શરૂ કરવામાં આવી છે. 

આ લેખ માં શ્રમિક પરીવાહન યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી.

#Ad

શ્રમિક પરીવહન યોજના શું છે?

ગુજરાત માં રહેતા અને બાંધકામ ક્ષેત્ર માં જોડાયેલ શ્રમયોગી ને કડિયા નાક સુધી આવવા જવા માટે ગુજરાત ના મહાનગરપાલિકા માં બસ પાસ યોજના છે જેમાં રાહતદારે શ્રમિકો મુસાફરી કરી શકે છે. 

યોજના નું નામશ્રમિક પરીવહન યોજના
વિભાગગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ
લાભાર્થીગુજરાત ના બાંધકામ શ્રમિકો
મળવાપાત્ર સહાયરાહતદરે બસ પાસ
સતાવાર વેબસાઇટhttps://bocwwb.gujarat.gov.in/
હેલ્પલાઈન નંબર079-25502271

નિયમો

  • રાજ્યની 4 નગરપાલિકાઓ (અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ) આ યોજનામાં સામેલ છે.
  • બાંધકામ કામદાર રજિસ્ટર્ડની માંગ મુજબ પાસ માસિક અથવા ત્રિમાસિક અથવા છ-માસિક અથવા વાર્ષિક રાહત દરે જારી કરવામાં આવશે. 

આ પણ વાંચો :

મળવાપાત્ર લાભ 

  • પાસના 20% લાભાર્થીએ આપવાના રહેશે અને 80% બોર્ડ દ્વારા ચૂકવવામાં આવે છે.

પાત્રતા

  • અરજદાર કોઈપણ મકાન અથવા અન્ય બાંધકામ કાર્યમાં રોકાયેલ હોવો જોઈએ. બાંધકામ કામદારો કે જેઓ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કામદારો કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા છે તેઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર હશે.

જરૂરી ડોક્યુમેંટ્સ

શ્રમિક પરિવહન યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

#Ad
  1. આધાર કાર્ડ
  2. ઇ-નિર્માણ કાર્ડ
  3. 2 પાસપોર્ટ સાઇઝનો ફોટો
આ પણ વાંચો : ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ પ્રોસેસ જાણો

શ્રમિક પરિવહન યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  • અરજદારે નજીકની મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની મુલાકાત લેવાની જરૂર છે.
  • અરજી ફોર્મ એકત્રિત કરો અને આવશ્યકતા મુજબ બધી વિગતો ભરો.
  • બધા જરૂરી દસ્તાવેજો જોડો અને તેને મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં સંબંધિત અધિકારીને સબમિટ કરો.
  • વિગતોની ચકાસણી કર્યા પછી અને સત્તાધિકારી દ્વારા અરજદારને બસ પાસ આપવામાં આવી શકે છે.

નોંધ: રાજ્યની 4 નગરપાલિકાઓ (અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ) આ યોજનામાં સામેલ છે.

આ પણ વાંચો :

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટhttps://bocwwb.gujarat.gov.in
Whatsapp ગ્રુપ માં જોડાવઅહી ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : શ્રમિક પરિવહન યોજના હેઠળ મળવાપાત્ર સહાય શું છે? 

જ :  શ્રમિકો ને કડિયા નાક સુધી આવવા જવા માટે તકલીફ ના પડે એટલે રાહત દરે મહામગરપાલિક દ્વારા બસ પાસ જારી કરવામાં આવે છે.

પ્ર.2 : Shramik Parivahan Yojana માટે અરજી કેવી રીતે કરવી?

જ : અરજદારે નજીકની મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની મુલાકાત લઈ ને અરજી કરી શકે છે. અથવા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જિલ્લા કચેરીએ જઈને અરજી કરી શકે છે.

#Ad

Sources And References

Leave a Comment