ગુજરાતમાં રહેતા અને બાંધકામ વ્યવસાયમાં જોડાયેલા શ્રમિકો માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. જેમાં બાંધકામ વ્યવસાયમાં રહેલા શ્રમયોગીને ચાલુ કામ દરમિયાન મૃત્યુ થાય તો બાંધકામ શ્રમયોગીના કાયદેસર નિયમો મુજબ આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી આ અંત્યેષ્ઠિ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
આ લેખ માં આપણે જાણીશું કે અંત્યેષ્ઠિ સહાય યોજના શું છે? તેનો લાભ કોણ લઈ શકે, મળવાપાત્ર લાભ, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો.
![અંત્યેષ્ઠિ સહાય યોજના | Antyeshti Sahay Yojana In Gujarati અંત્યેષ્ઠિ સહાય યોજના | Antyeshti Sahay Yojana In Gujarati](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj9idajSeOLxaahoYFeX0_Lw8NCJNN_f_6kceCHWhNQknDEMPgi-DMWRSiacpU_mDsmYdwm8d-6HZyRePvILG9uLybwAcPs2hOaEsgsyf9lrYWCM_FDaLQKtqYNdFQJ9sdb6xzBACyGbNTj-qNeHRmq8-8HubOnmNtOL6wqLPWYmDqxeXYqh2w4AFozIw/s16000/%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AB%87%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BF%20%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AF%20%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE.webp)
અંત્યેષ્ઠિ સહાય યોજના શું છે? – What is Antyeshti Sahay Yojana?
ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રના વ્યવસાયમાં જોડાયેલ અને નોંધાયેલ શ્રમયોગી નું કામ દરમિયાન મૃત્યુ થાય તો મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવાર ને અંતેષ્ઠી સહાય યોજના હેઠળ અંતિમક્રિયા માટે ₹10,000 ની નાણાકીય સહાય આપવાની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવેલ છે.
Antyeshti Sahay Yojana Highlight
યોજના નું નામ | અંત્યેષ્ઠિ સહાય યોજના |
વિભાગ | ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ |
લાભાર્થી | બાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમિકો |
મળવાપાત્ર સહાય | ₹10,000 (કામ દરમિયાન મૃત્યુ ના કિસ્સા માં) |
સતાવાર વેબસાઇટ | https://bocwwb.gujarat.gov.in |
હેલ્પલાઈન નંબર | 079-25502271 |
અંત્યેષ્ઠિ સહાય યોજના માટે કોણ લાભ લઈ શકે
ગુજરાતના બાંધકામ વ્યવસાયમાં જોડાયેલા તમામ શ્રમયોગી જેની ૧૮ થી ૬૦ વર્ષની ઉંમર છે જે નીચે મુજબ છે.
- કડિયા
- પ્લમ્બર
- ઇલેક્ટ્રીસિયન
- સુથાર
- લુહાર
- વાયરમેન
- કલરકામ કરનાર
- લિફ્ટ ઇન્સ્ટોલ કરનાર
- ફેબ્રીકેશન કરનાર
- ઇંટો/નળિયા બનાવનાર
- વેલ્ડર
- સ્ટોન કટિંગ/ક્રશિંગ કરનાર
- મ.ન.રે.ગા. વર્કર વગેરે..
આ પણ વાંચો:
અંત્યેષ્ઠિ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ – Antyeshti Sahay Yojana Benefits in Gujarati
શ્રમયોગી કામ દરમિયાન મૃત્યુ પામે તો તેમના પરિવારને અંત્યેષ્ઠિ સહાય યોજના હેઠળ અંતિમક્રિયા માટે ₹10,000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
અંત્યેષ્ઠિ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ – Required Documents Of Antyeshti Sahay Yojana
અંત્યેષ્ઠિ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.
- અરજી પત્રક(નમૂનામાં)
- મરણ અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ
- વારસદાર
અંત્યેષ્ઠિ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી? – Apply For Antyeshti Sahay Yojana Gujarat
- નાણાકીય સહાય મેળવવા માટે નોંધાયેલ બાંધકામ શ્રમિક ના પરિવાર ને આ નમૂના સાથે અરજી ફોર્મ રજૂ કરવાનું રહેશે.
- બાંધકામ શ્રમિકોના પરિવારના સદસ્યને અરજી જે તે જિલ્લાના પ્રોજેક્ટ મેનેજર અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડને આપવાની રહેશે.
- વધુ માહિતી માટે તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો.
અંત્યેષ્ઠિ સહાય યોજના ની મહત્વપૂર્ણ લિંક્સ
સતાવર વેબસાઇટ | https://bocwwb.gujarat.gov.in |
અરજી ફોર્મ | ડાઉનલોડ કરો |
Helpline number | 079-25502271 |
Whatsapp ગ્રુપ માં જોડાવ | અહી ક્લિક કરો |
યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
પ્ર.1 : અંત્યેષ્ઠિ સહાય યોજના શું છે?
જ : ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રના વ્યવસાયમાં જોડાયેલ અને નોંધાયેલ શ્રમયોગી નું કામ દરમિયાન મૃત્યુ થાય તો મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવાર ને આ યોજના હેઠળ અંતિમક્રિયા માટે ₹10,000 ની નાણાકીય સહાય આપવાની જોગવાઈ છે.
પ્ર.2 : અંત્યેષ્ઠિ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ શું છે?
જ : શ્રમયોગી કામ દરમિયાન મૃત્યુ પામે તો તેમના પરિવારને અંત્યેષ્ઠિ સહાય યોજના હેઠળ ₹10,000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
પ્ર.3 : અંત્યેષ્ઠિ સહાય યોજના માટે સતાવર વેબસાઇટ શું છે?
જ : અંત્યેષ્ઠિ સહાય યોજના માટે સતાવર વેબસાઇટ https://bocwwb.gujarat.gov.in છે.
આ પણ વાંચો: