ભારત માં ઘણા બધા લોકો મકાન વિહોણા છે અને અત્યારે મકાન બનાવવું પણ ઘણું મુશ્કેલ છે તે સમસ્યા ને ધ્યાન માં લઈ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લોકો ને મકાન બનાવવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન ફોર્મ (આવાસ યોજના) જેમાં તમને પંડિત દીનદયાળ આવાસ યોજનાના તમામ પગલાઓ વિશે માહિતી આપવામાં આવી છે. તમામ માહિતી જેમ કે ક્યાં અને યોજના માટે કેવી રીતે અરજી કરવી અને ક્યાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો છે. જાણો સંપૂર્ણ માહિતી.
![Pandit Din Dayal Upadhyay Awas Yojana Apply Online Gujarat](https://www.infogujarati.com/wp-content/uploads/2024/02/પંડિત-દીનદયાળ-ઉપાધ્યાય-આવાસ.webp)
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો ઉદ્દેશ
ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે અને તેઓ જર્જરિત હાલતમાં છે. આ ગરીબ લાભાર્થીને ગુજરાત સરકાર આર્થિક સહાય આપશે નવું પાકું મકાન બનાવવા માટે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે પાત્રતા માપદંડ
- ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 1,20,000
- શહેરી વિસ્તારો માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 1,50,000
- પોતાની જમીનમાં જમીનનો પ્લોટ હોવો જોઈએ
- અત્યંત વિચારસરણી મુક્ત જાતિના મુદ્દાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે. સહાયતા માપદંડ
- શહેરી આવાસ યોજનામાં 1,20,000/- સુધીની સહાય.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- અરજદાર જાતિ/પેટાજાતિ નો દાખલો
- આવક નો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળીનું બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ભાડાકરાર, ચૂંટણી કાર્ડ)
- પાસબુક / કેન્સલ ચેક
- જમીન ધારકો/દસ્તાવેજો/અકરાણી પત્રકો/જમણા રોલ/ચાર્ટર્ડ શીટનો આધાર (જે લાગુ છે)
- જમીન ઉપર બિલ્ડીંગનું બાંધકામ, તે જમીનનો વિસ્તાર દર્શાવતા નકશાની નકલની સાહિવલી જણાવે છે કેતુરડીસા (તલાટી મંત્રીશ્રી).
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- BPLનો દાખલો
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
- પાસબુક / કેન્સલ ચેક
- અરજદારના ફોટો
આ પણ વાંચો:
- આવકનો દાખલો નો કેવી રીતે કઢાવવો? જાણો
- નવું રેશનકાર્ડ બનાવવા માટે સૌથી સરળ પ્રક્રિયા જાણો
- ઘરે બેઠા એજન્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો
- ઘરે બેઠા આધારકાર્ડ માં મોબાઈલ નંબર લીંક કરો
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
STEP 1 : સૌપ્રથમ તમારે ઈ-સમાજ કલ્યાણ ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://esamajkalyan.gujarat.gov.in
STEP 2 : ત્યાર બાદ તમારે તે વેબસાઈટમાં લોગીન કરવાનું રહેશે.
જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું નથી તો તમારે પહેલા સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન કરતી વખતે તમને આઈડી પાસવર્ડ આપવામાં આવશે તે સાથે રાખવાનો રહેશે.
![પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgCcn2acRyz-yAz7z7vJyIz4HYOZ-koKfFcEblR5PjqKXcgyIHUBHDIWDL7ri_vpvecBlw9wZJ4ICcRhPW-X8wiLuOsiMC_oXUcloVq8ytx1gYhbrcozSHU38ESJKrPlb1r3Zgb46H7OJwQ_Ro1-U7Jb_1iUYji7Ow43ZUfZXnlJG1InwTD28hHlpcQ2w/s16000/pandit%20dindayal%20upadhyay%20avas%20yojana.jpg)
રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે વેબસાઈટમાં લોગીન કરવાનું રહેશે.
STEP 3 : ત્યાર પછી તમારે નિયમમાં અનુસૂચિત જાતિ કલ્યાણ નું ઓપ્શન જોવા મળશે તેમાં પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે.
![પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj0qoK4PED8KC3rHEBdWV-KS11zk3X9aOPP3PDbb-yky0qsi3KjSRoizBuQ3_qGRwCb-5xVpAVgItTjMW6k1lLJgfkyTOPJhj67qN2ejwRsr15Vcd9vWywaMtLSO7_bImGm8tS6fGx91Xa6IAYpVVQbBXLC3iLdcI5sOOa3k9P4Igj-FBCi4fQ4eOmqCg/s16000/pandit%20dindayal%20upadhyay%20avas%20yojana%202.jpg)
ત્યારબાદ પ્રથમ હપ્તા માટે અરજી તેમાં ક્લિક કરવાનું રહેશે.
![પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhiT2hOu0avHUza0jcgQPhl7_l0HUJAaJDv8vJJX9VSsxdiGRzMbl4PJ4tbZbLk8DNjBJJW2BZ__ddKge5cylQkMyE2H1JjvDQ5zu9Z82kGU9xa4nc5l1H2gza0GqFN60AM6eYRrAMEhTIHAvitHguZduelr4elwU52eQpQYOMUDQ5O3D4pwe1rgX2SfQ/s16000/Picsart_22-07-03_17-22-29-611.jpg)
STEP 4 : ત્યારબાદ તમારી સામે વ્યક્તિગત વિગત નામની ટેબ જોવા મળશે તેમાં તમારી બધી માહિતી તમારે ભરવાની રહેશે પાસપોર્ટ સાઈડ નો ફોટો નામ મોબાઈલ નંબર સરનામું બધી વિગતો ભરવાની રહેશે અને વિગતો ભરાઈ ગયા પછી તમારે Save And Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
![પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhiIymr-1cwi1y9ySsTivxMBpBUah38GErmgkiU_ZrEg6DRYdGuLIlFOknQzjdBAyCpRzwyPa12pwTR7fVeKvqgeGW20YaGTg-VtJQtuixmznWZ0R-eSQQodWlPCgRZZ7Y1Zaviet0W1APC3G_K494glLq2IuawRw_89UtrgOT9MDgPSj0Wp89ucfMhyw/s16000/Picsart_22-07-03_17-28-21-291.jpg)
STEP 5 : ત્યારબાદ તમારે અરજી ની વિગતો એ જોવા મળશે અને તમારે તેમાં બધી માહિતી ભરવી પડશે જેવી કે તમારી આવક કેટલી છે શું ધંધો કરો છો, કુટુંબના સભ્યોની સંખ્યા, બેન્ક એકાઉન્ટ નંબર વગેરે. વિગતો ભરાઈ ગયા પછી તમારે Save And Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
![પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgdT_XBCz4mjPYKWSzZri9oXYZ2x1ngkbdU3mf-dApStlk-jXOnu3RhembkOLXPmqNpT0x3ZHSmcOjgzpBF4VfbBEv3EaU4kZ5yMZRrrsdxlrxi9eyDNW6qqtwVtP48aNuoBVZaUn16Y6k2hb_qkoM1_ypNaNTnQDUa3pPCQDcbw0I91Tq3O8IU2NknEw/s16000/Picsart_22-07-03_17-30-29-933.jpg)
STEP 6 : ત્યારબાદ તમારે નવું પેજ ખુલશે જેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. બધા ડોક્યુમેન્ટની સાઈઝ 1MB થી ઓછી હોવી જોઈએ. વિગતો ભરાઈ ગયા પછી તમારે Save And Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
![પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg9A-nQ0ep_dWgjuSMcjUqQJET4lrERQ7_2SOX04E6TcYZvCgUgV21QEAZIb0_ySz_BcjNlItvQjMimgvLC7FAsCwSHPon5kr2FuaYVPlOz138f6rlo6tt-Q0pHDQ6-7hAptyNJD5jkF945V1SEqpcqHRmvZdQtPiluTvtToxrt6a7GF9WWdvGe57PUZg/s16000/Picsart_22-07-03_17-49-22-297.jpg)
STEP 7 : ત્યારબાદ તમને નિયમ અને શરતોનું એક પેજ જોવા મળશે જ્યાં તમારે ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે જેમાં લખેલું હશે ઉપર આપેલી બધી નિયમો અને શરતો થી હું સહમત છું. પછી તમારે Save Application બટન પર ક્લિક કરવાનું રહેશે.
![પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhsjkP8gMbwREEAk-juDIBgbd_4VLgrDbuEWjZ7vgJ6-rdBNO3TBzYxMKtQMksgYnfE5eR3f2CCt6isx76oPHH7ytYSdaCnsQb37M2iJyxNQ6KnkmLi9Ap4k20Yjv_31mN9N_LBmJ3RjNFOcmvFAHcXnrkdIa_IWZ8HtmzAdnc1J2JDBDP9GzeVzTUozw/s16000/Picsart_22-07-03_17-52-16-929.jpg)
સહાય કઈ રીતે મળે
કુલ 1 લાખ 20 હજાર ની સહાય મળશે
- પ્રથમ હપ્તો રૂ. 40,000 નો રહેશે, જે લાભાર્થીને ઘરનું કામ શરૂ કરવા માટે આપવામાં આવશે.
- બીજો હપ્તો 60,000 રૂપિયામાં આપવામાં આવશે. આ હપ્તાના મકાનનો હપ્તો લૅટર લેવલ સ્તરે પહોંચતા જ મળશે.
- ત્રીજો અને અંતિમ હપ્તો 20,000 રૂપિયામાં આપવામાં આવશે. આ હપ્તાની રકમ લાભાર્થીને આખું ઘર પૂર્ણ થવા પર પ્રાપ્ત થશે.
આ પણ વાંચો :
- ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ 1,20,000 રૂપિયા મેળવો
- ઘર બનાવવા માટે 2.67 લાખ ની સહાય : પ્રધાનમંત્રી આવાસ યોજના
- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
- પીએમ કિસાન e-KYC કેવી રીતે કરવી?
પંડિત દિનદયાળ ઉપાધ્યાય યોજના અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
જવાબ : Official Website Is https://esamajkalyan.gujarat.gov.in/
જવાબ : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ તથા વિચરતી વિમુકત જાતિના ઘર વિહોણા ઈસમોને શહેર અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે જેમના નામે પોતાની માલિકીનો પ્લોટ અથવા સરકારી મફત પ્લોટ મળેલ હોય તેવા ઈસમોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે .
જવાબ : હા , શૌચાલય સહાય માટે રૂ .૧૨,૦૦૦ / – તથા મનરેગા હેઠળ ૩.૧૬૯૨૦ / – મળી કુલ રૂ .૧,૪૮,૯૨૦ / સહાય મળવાપાત્ર થાય છે . મનરેગા તથા શૌચાલયનો લાભ ગ્રામ પંચાયત મારફત તાલુકા પંચાયતમાંથી મેળવવાનો રહેશે .
જવાબ : આ યોજના હેઠળ કુલ રૂ .૧.૨૦ લાખ સહાય મળે છે . સહાય ત્રણ હપ્તામાં મળે . જેમાં પ્રથમ હપ્તો ૩.૪૦,૦૦૦ / – ( વહીવટી મંજુરીના હુકમ સાથે ) બીજો હપ્તો રૂ .૬૦,૦૦૦ / – ( લેન્ટર લેવલે પહોંચ્યા બાદ ) તથા ત્રીજો હપ્તો રૂ . ૨૦,૦૦૦ / – ( શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થયેથી ) મળી શકે છે