ઘરઘંટી સહાય યોજના ફોર્મ, ડોક્યુમેન્ટ, અરજી પ્રક્રિયા | Flour Mill Sahay Yojana Gujarat 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Ghar ghanti Sahay Yojana Gujarat 2023: ગુજરાત રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળા વ્યક્તિ સ્વ રોજગાર મેળવી શકે તે હેતુથી માનવ કલ્યાણ યોજના વિવિધ સાધન પર સહાય આપવામાં આવે છે. આ યોજના થકી ગુજરાતના જે આર્થિક રીતે પછાત અને જે ગરીબ છે તેને સ્વ રોજગાર ખોલવા માટે ઘરઘંટી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના થી ગુજરાતના ગરીબ લોકો ને ઘણો ફાયદો થતો હોય છે.

તો આપણે આ આર્ટિકલ દ્વારા એ જાણીશું કે ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમજ તેમાં કયા ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશે સંપૂર્ણ જાણકારી મળશે તો આ આર્ટિકલ અંત સુધી વાંચજો.

#Ad

ઘરઘંટી સહાય યોજના શું છે? – Ghar Ghanti Sahay Yojana In Gujarati

માનવ કલ્યાણ યોજના થકી ગુજરાતમાં વસતા આર્થિક રીતે પછાત વર્ગના લોકોને સ્વ રોજગાર ખોલવા માટે ઘરઘંટી સહાય યોજના હેઠળ કુલ ૧૫,૦૦૦ રૂપિયા ની સહાય આપવામાં આવે છે. આ યોજના થી સરકાર આર્થિક રીતે પછાત લોકોની આર્થિક રીતે મદદ કરતી હોય છે.

આ ઘરઘંટી થી વ્યક્તિ નવો ધંધો ચાલુ કરીને પોતાનું ભરણપોષણ કરી શકે છે. તેમજ આર્થિક રીતે પગભર રહીને પોતાનું જીવન પસાર કરી શકે એમ છે.

Ghar Ghanti Sahay Yojana 2023

યોજના નું નામમાનવ કલ્યાણ યોજના(ઘરઘંટી સહાય યોજના)
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા 
વિભાગકમિશનર, કુટીર, ગ્રામોદ્યોગ વિભાગ
લાભાર્થીઆર્થિક રીતે પછાત વર્ગો
મળવાપાત્ર સહાયકુલ ૧૫,૦૦૦ રૂપિયા ની સહાય
સત્તાવાર વેબસાઇટe-kutir.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર07923259591

યોજનાનો હેતુ 

આ ઘરઘંટી યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે પછાત લોકો ને સ્વરોજગાર ખોલવાના હેતુથી ઘરઘંટી માટે સહાય આપવી. આ યોજના થી ગરીબ લોકો પોતાની રીતે નવો ધંધો ચાલુ કરી શકે અને આર્થિક રીતે તેમનો પણ વિકાસ થાય તેમજ તે પણ પગભર રહીને પોતાનો ઘરસંસાર ચલાવી શકે. તો સરકાર નો મુખ્ય હેતુ આર્થિક વિકાસ કરવાનો અને ગરીબી દૂર કરવાનો છે. તો આપણે આ યોજના વિશે આગળ પણ વાંચીએ.

#Ad

આ પણ વાંચો:

ઘરઘંટી યોજના માં કોણ લાભ લઇ શકે 

આ યોજના માટે કેટલીક શરતો અને પાત્રતા હોવી જોઈએ જે નીચે મુજબ છે:

  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • અરજદારે ઘરઘંટી ચલાવે છે તેવું અનુભવનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • લાભાર્થી ની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ.
  • અરજદાર B.P.L કાર્ડ ધારકો હોવો જોઈએ.
  • અરજદાર આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ.
  • અરજદાર ની વર્ષિક આવક ૧,૨૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ.

ઘરઘંટી યોજના માટે મળવાપાત્ર લાભ – Ghar Ghanti Sahay Yojana Benefits

ઘરઘંટી સહાય યોજના હેઠળ નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે:

  • આર્થિક રીતે પછાત લોકો ને અનાજ દળવાની ઘંટી પેટે કુલ ૧૫,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.
  • આ યોજનાનો લાભ B.P.L યાદીમાં આવતા લોકો ને મળે છે.
  • ઘરઘંટી થી વ્યક્તિ પોતાનો નવો ધંધો ચાલુ કરી શકે છે.
  • આ યોજના થી વ્યક્તિ પગભર રહીને જીવન પસાર કરી શકે છે.

ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ – Flour Mill Sahay Yojana Gujarat Documents

  • ઘરઘંટી સહાય યોજના નો લાભ મેળવવા માટે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે:
  • અરજદાર નું આધારકાર્ડ
  • અરજદારે ઘરઘંટી ચલાવાની તાલીમ લીધી હોય તેનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ 
  • આવકનો દાખલો 
  • જાતિનો દાખલો 
  • અનાજ દળવાની ધંધો કરતા હોય તો તે અંગેનું પ્રમાણપત્ર
  • ચૂંટણી કાર્ડ
  • બેંક પાસબુક 

ઘરઘંટી સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી? – Ghar Ghanti Sahay Yojana Apply Online

ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવાની નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

#Ad
  • સૌપ્રથમ માનવ કલ્યાણ ની ઓફિશ્યિલ વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in ઓપન કરવાની છે.
  • ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે.
  • બધી જ માહિતી ભરીને સબમીટ કરી દેવાનું છે.
  • ત્યાર પછી તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા પછી માનવ કલ્યાણ યોજના તેવું લખેલું આવશે.
  • માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરશો ત્યાર પછી ૨૭ પ્રકારના વ્યવસાય માટે ના નામ દેખાશે તેના નીચે ok પર ક્લિક કરવાનું રહેશે.
  • ok પર ક્લિક કરશો એટલે તમારું નામ,જન્મ તારીખ તેમજ અન્ય માહિતી પહેલાથી જ હશે.
  • લાસ્ટ માં તમારે બધી જ વ્યક્તિગત અને બીજી માહિતી ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી અરજી સેવ કરીને ફાઇનલ સબમિટ કરવાનું રહેશે.
  • સબમિટ કર્યા પછી તમારી પાસે અરજી નંબર જનરેટ થશે.તેમજ અરજીની પ્રિન્ટ કરી રાખવાની રહેશે.

આ પણ વાંચો:

યોજના ની મહત્વપૂર્ણ લિંક્સ:

સત્તાવાર વેબસાઇટhttps://e-kutir.gujarat.gov.in/
અરજી પ્રક્રિયા ઓનલાઇન
હેલ્પલાઈન નંબર07923259591
Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિક કરો

ઘરઘંટી સહાય યોજના માટે વારંવાર પૂછાતાં પ્રશ્નો – FAQs 

પ્ર.1 : ઘરઘંટી સહાય યોજના માં શું લાભ મળે છે?

જ : આ યોજના માં કુલ ૧૫,૦૦૦ રૂપિયાની સહાય મળે છે.

પ્ર.2 : ઘરઘંટી યોજના નું ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઈટ માં ભરી શકાશે?

#Ad

જ : આ યોજના નો લાભ મેળવવા માટે તમારે E kutir.guj.gov વેબસાઈટ માં ઓનલાઈન અરજી કરવાની રહશે 

પ્ર.3 : આ યોજનાનો લાભ કોને મળે છે?

જ : આ યોજનાનો લાભ આર્થિક રીતે પછાત વર્ગ તેમજ BPL કેટેગરી માં આવતા લોકોને મળે છે.

Source And Reference 

#Ad

cottage.gujarat.gov.in

Leave a Comment