5 લાખ સુધી મફત સારવાર, આયુષ્માન ભારત યોજના સંપૂર્ણ માહિતી | Ayushman Bharat Yojana In Gujarati | PMJAY Insurance

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

PMJAY Insurance 2023 : કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 5 લાખની કેશલેસ આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે. | Ayushman Bharat Yojana Gujarati

આ લેખ માં જાણો સંપૂર્ણ માહિતી આયુષ્માન ભારત યોજના વિશે કે તમારું નામ કેવી રીતે ચેક કરવું , ફાયદા , ડોક્યુમેન્ટ્સ અને આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું તે જાણવા મળશે. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિનંતી.

#Ad
આયુષ્માન ભારત યોજના | Ayushman Bharat Yojana In Gujarati

આયુષ્માન ભારત યોજના શું છે? (What is Ayushman Bharat Yojana in Gujarati)

આયુષ્માન ભારત યોજના એ ભારત સરકાર દ્વારા દેશના સૌથી ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ એક હેલ્થકેર પ્રોજેક્ટ છે.  આયુષ્માન કાર્ડમાં બે મુખ્ય સ્વાસ્થ્ય પહેલનો સમાવેશ થાય છેઃ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWC) અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan mantri Jan Arogya Yojana). PMJAY યોજના હેઠળ પ્રત્યેકને દસ કરોડથી વધુ પરિવારોને રૂ.5 લાખ ના આરોગ્ય વીમા (PMJAY Insurance) હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ પહેલ રાજ્યની હોસ્પિટલો અને ખાનગી સુવિધાઓમાં કેશલેસ સારવાર પૂરી પાડે છે જેને સરકારે મંજૂરી આપી છે.



આ પણ વાંચો :

આયુષ્માન ભારત યોજનાનો ઉદ્દેશ્ય

આયુષ્માન ભારતનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે જે ગરીબ લોકો અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે અને પૈસા ન હોવાના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતા નથી અને ઘરે વેદનામાં મૃત્યુ પામે છે.  તેઓ આયુષ્માન કાર્ડ દ્વારા તેમની સારવાર મફતમાં કરાવી શકશે, આ યોજના લાયકાત ધરાવતા અરજદારોને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ તરીકે ઓળખાતું સ્માર્ટ કાર્ડ પ્રદાન કરે છે. જેથી તેઓ સરકાર તરફથી આર્થિક મદદ મેળવી શકશે.  તે પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે.  આયુષ્માન કાર્ડ માટે, વ્યક્તિઓ તેમના નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા CSC સેન્ટર માં જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.

#Ad

આયુષ્માન ભારત યોજના વિશે માહિતી | આયુષ્માન કાર્ડ (Ayushman Bharat Yojana in Gujarati)

યોજના નું નામપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY
વિભાગનેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર
ક્યારે શરૂ કરવામાં આવી?સપ્ટેમ્બર ૨૦૧૮
લાભાર્થીભારતીય નાગરિક
મુખ્ય ફાયદાયુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) રૂ. 5 લાખ સુધી વીમો
યોજનાનો ઉદ્દેશજરૂરિયાતમંદ લોકોનો આરોગ્ય વીમો
હેલ્પલાઇન નંબર14555/1800111565
આયુષ્માન ભારત યોજના વેબસાઇટpmjay.gov.in


આયુષ્માન કાર્ડ યોજના માં નામ કેવી રીતે ચેક કરવું? (Ayushman bharat yojana registration in Gujarati)

PMJAY SECC 2011 (સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરી) દ્વારા ઓળખાયેલા તમામ લાભાર્થીઓને લાગુ પડે છે અને જેઓ પહેલાથી RSBY અને અમૃતમ યોજના (માં યોજના) નો ભાગ છે.  જો કે, તમે PMJAY ના લાભાર્થી બનવા માટે પાત્ર છો કે કેમ અને આયુષ્માન કાર્ડ લિસ્ટ માં તમારું નામ છે કે નહી તે કેવી રીતે ચેક કરવું તે નીચે મુજબ જણાવેલ છે.

STEP 1 : Mera PMJAY પોર્ટલની મુલાકાત લો https://mera.pmjay.gov.in/search/login

STEP 2 : તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને ‘OTP જનરેટ કરો’ પર ક્લિક કરો

STEP 3 : પછી તમારું રાજ્ય પસંદ કરો અને નામ/HHD નંબર/રેશન કાર્ડ નંબર/મોબાઈલ નંબર દ્વારા શોધો

#Ad

STEP 4 : સર્ચ કર્યા બાદ પરિણામોના આધારે, તમે ચેક કરી શકો છો કે તમારું કુટુંબ PMJAY હેઠળ આવરી લેવામાં આવ્યું છે કે નહીં.

STEP 5 : ત્યાર બાદ તમને 24 અંક નો HHID નંબર જોવા મળશે. જે તમારે સાચવી ને રાખવો. આયુષ્માન કાર્ડ કઢાવતી વખતે જરૂર પડશે.

વૈકલ્પિક રીતે, તમે PMJAY માટે લાયક છો કે નહીં તે જાણવા માટે, તમે કોઈપણ હોસ્પિટલ નો સંપર્ક કરી શકો છો જે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ચાલતી હોય અથવા આયુષ્માન ભારત યોજના કોલ સેન્ટર નંબર: 14555 અથવા 1800-111-565 પર ડાયલ કરી શકો છો.



જે HHID તમને મળ્યો એ લઈ ને તમે નજીક ની હોસ્પિટલ માં જઈ ને આયુષમાન કાર્ડ બનાવી શકો છે અથવા નજીક નું CSC સેન્ટર પર જઈ ને પણ આયુષ્માન ભારત કાર્ડ બનાવી શકો છો. અથવા તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા પણ આયુષમાન કાર્ડ બનાવી શકો છો. જેનો વિડીયો અમે નીચે આપેલ છે તમે ચેક કરી શકો છો.

#Ad

આયુષમાન કાર્ડ કેવી રીતે બનાવવું તે જાણો

આયુષ્માન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?

આયુષમાન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું તે તમે જાણવા માંગો છો તો તેના માટે અમે અલગ થી આર્ટીકલ અને વિડીયો બનાવેલ છે જેમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવવામાં આવી છે. જેની લિંક નીચે આપેલ છે તમે ચેક કરી શકો છો.

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે નીચે લિંક પર ક્લિક કરો.

આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ (Required Documents for Ayushman card – PMJAY Card)

  • લાભાર્થી નું આધાર કાર્ડ
  • રાશન કાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો)


આયુષ્માન કાર્ડ ના ફાયદા (Benefits of Ayushman card)

  • યોજના હેઠળ ગરીબ લોકો 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.
  • દેશના નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તેમની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જઈ શકે છે.
  • 50 કરોડથી વધુ અરજદારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
  • આ અંતર્ગત તમામ લેખિત કામમાં ઘટાડો કરવામાં આવશે.

આ પણ વાંચો:

તમને ખબર પડી ગઈ હશે સંપૂર્ણ માહિતી આયુષ્માન ભારત યોજના અને આયુષ્યમાન કાર્ડ ની માહિતી કે આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?, આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ, પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ આવક મર્યાદા કેટલી હોય છે અને આયુષ્યમાન કાર્ડ ના લાભ કયા કયા છે.

#Ad

આયુષમાન યોજના વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્રશ્ન 1 : આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ

જવાબ: લાભાર્થી નું આધાર કાર્ડ, રાશન કાર્ડ, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝ ફોટો, HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો)

પ્રશ્ન 2 : આયુષ્માન ભારત યોજના માં HHID નંબર શું હોય છે?

જવાબ : HHID નંબર એવા દરેક ફેમિલી ને આપવા માં આવે છે જે ૨૦૧૧ માં વસ્તી ગણતરી હેઠળ આયુષ્માન ભારત યોજના નો લાભ લઇ શકે છે.

#Ad

પ્રશ્ન 3 : આયુષ્માન ભારત યોજના માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

જવાબ: લાભાર્થીઓ તેમની નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા CSC સેન્ટર જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.

પ્રશ્ન 4 : આયુષ્માન કાર્ડ આવક મર્યાદા કેટલી હોય છે?

જવાબ: આયુષ્માન ભારત યોજના આવક મર્યાદા દ્વારા લાભાર્થી નક્કી થતો નથી ૨૦૧૧ ની વસ્તી ગણતરી માં જેનું નામ છે તે આ યોજના નો લાભ લઇ શકે છે.

#Ad

પ્રશ્ન 5 : આયુષ્માન ભારત યોજના માટે ટોલ ફ્રી નંબર શું છે?

જવાબ: 14555/1800 111 565

પ્રશ્ન 6 : આયુષ્માન ભારત યોજના માટે સતાવાર વેબસાઇટ કંઈ છે?

જવાબ: આયુષ્માન ભારત યોજના વેબસાઇટ www.pmjay.gov.in

25 thoughts on “5 લાખ સુધી મફત સારવાર, આયુષ્માન ભારત યોજના સંપૂર્ણ માહિતી | Ayushman Bharat Yojana In Gujarati | PMJAY Insurance”

  1. આયુષ્યમાન કાડૅ માં પતિ ની જગ્યાએ પિતા નું નામ હોય તે સુધારો કેમ કરી શકાય.

    Reply
  2. એમાં સુધારો ના કરો તો પણ ચાલે કેમ કે આયુષ્માન ભારત કાર્ડ દરેક વ્યક્તિ નું અલગ હોઈ છે,
    અને જો તમારે સુધારો કરાવવો હોઈ તો તમે નજીક ની હોસ્પિટલ અથવા CSC સેન્ટર જય ને સુધારો કરાવી શકો છો.

    Reply
  3. આયુષ્યમાંન કાર્ડ રીન્યુ ક્યારે કરાવવાનું અને ખબર કઈ રીતે પડે રીન્યુ ક્યારે કરાવવાનું કોઈ મેસેજ આવે

    Reply
  4. આયુષ્માન ભારત કાર્ડ રીન્યુ કરવાના હોતા નથી તે આજીવન માન્ય હોઈ છે.

    Reply
  5. ભાઈ મોબાઈલ નંબર આધાર કાર્ડ થી લિંક હોવો જરૂરી છે

    Reply
  6. જો તમે તમારી જાતે આયુષ્માન કાર્ડ બનાવવા ઈચ્છતા હોય તો તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો ફરજિયાત છે.

    નક્કર તમે નજીક ની હોસ્પીટલ જે આયુષ્માન કાર્ડ હેઠળ ચાલતી હોય ત્યાં જઈ ને કઢાવી શકો છો. તેમાં મોબાઈલ નંબર લીંક હોવા ફરજિયાત નથી. અથવા નજીક ના CSC સેન્ટર જઈ ને પણ કાર્ડ કઢાવી શકો છો.

    વધારે માહિતી માટે તેના ટોલ ફ્રી નંબર પર ફોન કરી ને પૂછી શકો છો.

    Reply
  7. જો એક વાર જે સર્જરી કરેલી હોઈ અને તેમાં જ કંઈ પ્રોબ્લેમ આવે તો તે તેમાં જ થઈ જશે અને બીજી બીમારી માટે ઉપયોગ કરવાનો હોય તો પણ તમે કરી શકો છો

    Reply
  8. Angioplasty balloon surgery suvidha chhe ke nahi aayushyamaan card dharak mate.

    Reply
  9. હા એ સર્જરી કાર્ડ માં થઈ જશે ,તો પણ એક વખત તમે નજીક ની હોસ્પિટલ અથવા ટોલ ફ્રી નંબર પર ફોન કરી ને પૂછી લેજો

    Reply
  10. Minimum ketla rupiya na kharch hoy to aa card use thai sake? Koi operation ma karel dava no kharch tatha anya dr ni visit no kharch pan ama cover thay chhe?

    Reply
  11. jo tamari bimari ke operation ayushman card ma avtu hoi to tamare free ma badhu thai jase ane jo te bimari ke operation te yojana ma avtu na hoi to tamare paisa bhari na karavvu pade

    vadhare ane bija koi prashno na javab mate sarkare toll free number apel che tema call kari ne janavi shako athva fariyad kari shako
    toll free number : 14555

    Reply
  12. Aayushman card flop che Kay Kam nu nathi Card hova chata rupees aapva pade che

    Reply
  13. jo tamari bimari ke operation ayushman card ma avtu hoi to tamare free ma badhu thai jase ane jo te bimari ke operation te yojana ma avtu na hoi to tamare paisa bhari na karavvu pade

    vadhare ane bija koi prashno na javab mate sarkare toll free number apel che tema call kari ne janavi shako athva fariyad kari shako
    toll free number : 14555

    Reply
  14. આયુષ્યમાન કાર્ડ જાતે કઈ રીતે કાઢી શકાય ? અને csc સેન્ટર એટલે શું ?

    Reply
  15. શું કાર્ડ એક્ટિવ કરવા માટે હોસ્પિતલમાં ૩ દિવસ રોકવું ફરજીયાત છે???

    Reply
  16. ના એવું કશું હોતું નથી

    તમારી પાસે કાર્ડ છે એટલે તમારે એક પણ પ્રકારની રાહ જોવી ના પડે.

    પરંતુ જો તમારું કાર્ડ નવું બનાવવામાં આવ્યું છે અને હજી તે બન્યું નથી તો તે બની જાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડે.

    કાર્ડ બની જાય પછી તમેં સારવાર લઇ શકો.

    અને જો તમારે વધારે માહિતી જોઈતી હોઈ તો તમે ટોલ ફ્રી નંબર પર હોસ્પિટલ સામે ફરિયાદ કરી શકો છો .

    ટોલ ફ્રી નંબર : 14555
    1800 233 1022

    Reply
  17. આ કાર્ડ મા સ્ત્રી ની ડીલવરી કે સિજેરિયન આવરી લેવામાં આવે છે?

    Reply
  18. સિઝેરિયન ઓપરેશન આવે તો આયુષ્માન કાર્ડ માં કરાવી શકો , પરંતુ સામાન્ય ડીલેવરી આયુષ્માન કાર્ડ માં આવરી લેવામાં આવતી નથી.

    Reply
  19. આયુષ્માન કાડ માં વ્યક્તિ દિઠ ૫ લાખ ની સારવાર છે કે પરિવાર દિઠ?

    Reply

Leave a Comment