ભારતમાં દર 5 સપ્ટેમ્બરએ આઝાદી પછીના ભારતના પ્રથમ ઉપ-રાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસએ તેમના શિક્ષણ પ્રત્યેના અપાર પ્રેમને કારણે અને તેમના કાર્યોને સન્માન આપવા માટે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
શિક્ષક એવા વ્યક્તિ હોય છે જે વિધ્યાર્થીને તેના જીવનની દિશા શોધવામાં મદદ કરે છે, વિધ્યાર્થીને પોતાની ક્ષમતાઓની ઓળખ કરાવે છે અને તેના જીવનને ઉચ્ચ પ્રગતિ તરફ લઈ જાય છે.
આ પોસ્ટમાં તમને શિક્ષક દિવસ પર 10 એવા સુવિચારો વાંચવા મળશે જેના દ્વારા તમને ઘણું શીખવા મળશે અને આ સુવિચારોને તમે પોતાના વોટ્સએપ સ્ટેટસ કે સ્ટોરી, કોઈને મેસેજમાં પણ મોકલી શકો છો.
શિક્ષકો દિવસના 10 સુવિચારો - Teachers Day Quotes in Gujarati
"શ્રેષ્ઠ શિક્ષકો જવાબ નથી આપતા પણ તેઓ તમારી અંદર સવાલો પૂછવાની અને તેના જવાબો શોધવાની ઈચ્છા જગાડે છે! શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છાઓ!"
"શિક્ષક એવા વ્યક્તિ હોય છે જે કોઈ વ્યક્તિને અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય છે."
"અક્ષર-અક્ષરનો અર્થ સમજાવે એ છે શિક્ષક! શબ્દ-શબ્દનું અર્થ સમજાવે એ છે શિક્ષક! પ્રેમની સાથે ક્યારેક ઠપકો પણ આપે એ છે શિક્ષક!"
"માણસની ભૂલો જ તેને સૌથી સારી શિક્ષા આપે છે! શિક્ષક દિવસની શુભેચ્છાઓ 2022 !"
"જ્યારે ચારે-બાજુથી મળતી હોય અસફળતાઓ ત્યારે શિક્ષક જ હોય છે જે કહે છે કે હાર ના માનીશ, તું કરીશ જ શકે છે!"
"ગુરુના હાથમાં એટલી શક્તિ હોય છે કે તેઓ એક વિધ્યાર્થી દ્વારા દુનિયા બદલી શકે છે!"
"સૌથી શ્રેષ્ઠ શિક્ષકો એ હોય છે જે વિધ્યાર્થીને માત્ર યાદ રાખવાની નહીં પણ તેની સાથે તેની વિચારવાની ક્ષમતાઓ પણ વિકસિત કરે છે! શિક્ષક દિવસની શુભેચ્છાઓ!"
"વિધ્યાર્થીના જીવનમાં એક શિક્ષકએ એટલી મોટી ભૂમિકા ભજવી હોય છે કે તે વિધ્યાર્થી ક્યારેય તેનું ઋણ નથી ચૂકવી શકતો! હેપી ટીચર્સ ડે 2022"
"શિક્ષકો મીણબત્તી જેવા હોય છે, પોતે સળગે છે પણ બીજાને અજવાળું આપે છે!"
"એક પુસ્તક, એક પેન, એક વિધ્યાર્થી અને એક શિક્ષક પૂરી દુનિયાને બદલી શકે છે! શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ 2022!"
આશા છે કે તમને આ શિક્ષક દિવસ વિશેના સુવિચારો વાંચીને ઘણું શીખવા મળ્યું હશે અને તમે પોતાના જીવનમાં વધુ આગળ વધી શકશો.
અન્ય પોસ્ટ: